રમતાં રમતાં ભણવાની અને ભણતાં ભણતાં રમવાની અનોખી કળાની સરળ ને સુગમ શૈલીમાં રજૂ થયેલી અનુભવકથા. "દિવાસ્વપ્ન" -ગિજુભાઈ બધેકા 🤩📚
For Pdf in gujarati click here
For pdf in english click here
ગિજુભાઈ
એક શિક્ષક
ગિજુભાઈ બધેકા એક એવા શિક્ષક હતા જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિઓનો પરિચય કરાવવામાં મદદ કરી હતી. તેમને "મૂછલી મા" તરીકે ઓળખવામાં આવે છે. ગિજુભાઈમાં પ્રયોગકર્તા જેવી વૈજ્ઞાનિક કઠોરતા, કંઈક નવું કરવાની અને તેનું પ્રદર્શન કરવાની ઇચ્છા, તે સમયની અંધકારમય શિક્ષણ પ્રણાલીમાં તણખા શોધવાની ક્ષમતા અને સૌથી ઉપર શ્રદ્ધા હતી. આ બધાના માર્ગદર્શન હેઠળ, તેમણે શિક્ષણના ક્ષેત્રમાં પોતાની યાત્રા શરૂ કરી, અને કાર્ય અને લેખનનો સમૃદ્ધ વારસો છોડી દીધો.
For more click here
આજની પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષણ અપાય છે તે શિક્ષણની પદ્ધતિઓ બાળકોને નુકસાન કરનારી છે. આજના શિક્ષણનું માપ પરીક્ષાઓ, ઇનામો અને હરીફાઈથી કાઢવામાં આવે છે. આજનાં શિક્ષણનાં પરિણામો વેરઝેર, મારામારી, અશાંતિ અને અવ્યવસ્થામાં આવે છે. એ બધાનો અત્યંત મનોહર ચિતાર આ વાર્તામાં આપણને. મળે છે. પરંતુ લેખક એ બાબતોનો કરુણ ચિતાર આપીને જ નથી બેસી રહેતા. બાલશિક્ષણમાં આજે પ્રવર્તી રહેલી એ કરુણતાનો ઉકેલ એટલો જ સરસ અને મનોહર રીતે તેમણે રજૂ કર્યો છે. એ ઉકેલ લાવવા માટે શિક્ષકનામાં જે ‘હૈયાઉકલત'ની જરૂર છે તે હૈયાઉકલત કેવી હોય તેનો આબાદ ચિતાર આ પુસ્તકમાં આપણને જોવા મળે છે. પ્રાથમિક શાળામાં જે ગંદકી, જે ઘોંઘાટ અને જે અવ્યવસ્થા આપણને નજરે આવે છે તે બધું હૈયાઉકલતવાળા શિક્ષકની જાદુઈ લાકડી અડતાં આપોઆપ જ જાણે તે ઊડી જાય છે, ને તેને સ્થાને સ્વચ્છતા, વ્યવસ્થા અને શાંતિ ગિજુભાઈના વર્ગમાં આવીને ગોઠવાઈ જતાં આપણને દેખાય છે. શિક્ષકને પોતાના કામમાં શી શી અડચણો આવવાની છે તેનો આબેહૂબ ખ્યાલ પુસ્તક લખતી વખતે લેખકની નજર આગળ રહેલો દેખાય છે. આજનો સમાજ કેવળ રૂઢિચુસ્ત છે. નાના એવા ફેરફારોને પણ ભયની નજરથી જુએ છે. પોતાનાં બાળકોની કેળવણી માટે માબાપો અક્ષમ્ય બેદરકારી સેવે છે. શિક્ષકોને હેડમાસ્તર, ઉપરી અને ઉપરીનાયે ઉપરીનો ડર ઊંઘમાં પણ રહ્યા કરે છે; અભ્યાસક્રમ અને પરીક્ષાની બેડીઓમાંથી શિક્ષક કે બાળકો જરા પર ચસકી શકતાં નથી. આ બધી વસ્તુઓ લેખક બરાબર સમજે છે, અને તેથી જ ધીરજ અને શાંતિપૂર્વકના પોતાના અવિરત કાર્યબળથી એ મુશ્કેલીઓ ઓળંગી જવાનું માર્ગદર્શન સચોટ રીતે આપણને તે કરાવી શક્યા છે.
આખા પુસ્તકમાં એક ખૂણામાં ભરાઈ રહેલો એક અત્યંત મહત્ત્વનો વિચાર આ પુસ્તક વાંચનારાઓ પાસે રજૂ કરવો એ મને મિત્રધર્મ દેખાય છે. આપણી ગમે તેટલી સુંદર આશાઓ હોવા છતાં પ્રાથમિક શાળાના ખુદ શિક્ષકમાં જ્યાં સુધી સ્વભાવફેર કરી નાખવામાં આવે નહિ ત્યાં સુધી આપણા અખતરાઓ ને પ્રયોગો કરવાનું સાચું સામથ્ર્ય સાંપડવાનું નથી. ગિજુભાઈના હૃદયને આ વાત બરાબર ડંખતી દેખાય છે. એટલે જ શિક્ષકમાંના તેના સ્વભાવની ક્રાંતિ કરવાના મુદ્દાને ખૂબ કોમળતાથી રજૂ કરવાની તેમણે કાળજી રાખી છે. આપણો આજનો પ્રાથમિક શાળાનો શિક્ષક અજ્ઞાત છે, ભાડુતી છે, પૈસાનો લોભી છે, જાતમાં અવિશ્વાસ રાખનારો છે. શિક્ષકની આ નબળી બાજુ ગિજુભાઈ પોતે પણ હમદર્દીથી પિછાને છે, અને શિક્ષકના માનસિક રોગમાં પોતે પણ દર્દ અનુભવે છે. એ દૃષ્ટિએ તેમણે એ આખા મુદ્દાને આ પુસ્તકમાં રજૂ કર્યો છે. એ મુદ્દો વાંચ્યા પછી શિક્ષક પોતાની નિર્બળતાઓથી મૂંઝાવાનો છે, શરમાવાનો છે, પોતાનામાં તેવું બળ જમાવવાની મહત્ત્વાકાંક્ષાઓ ઊભી કરવાનો છે, કે જે બળ વડે ગિજુભાઈના દિવાસ્વપ્નનો સાક્ષાત્કાર કરતો શિક્ષક પોતે બની શકે.
દિવાસ્વપ્ના આપણા સપનાની શૈક્ષણિક પ્રણાલીની સતત શોધનો પડઘો પાડે છે, જ્યારે તે એક શિક્ષકની વાર્તા કહે છે જેણે સ્વપ્નને સાકાર કરવા માટે કંઈક કરવાની હિંમત કરી હતી. દિવાસ્વપ્ન પુસ્તકને પણ છેલ્લી સદીમાં શિક્ષણ શાસ્ત્રમાં સૌથી મોટું યોગદાન માનવામાં આવે છે. મૂળરૂપે 1931માં ગુજરાતીમાં પ્રકાશિત થયેલું, આ પુસ્તક પાછળથી નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા 11 ભારતીય ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment